PM મોદીને પુણેમાં લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત કરાયા

by ND
PM Modi awarded by Lokmanya Tilak Award, News Inside

Prime Minister Modi| પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે મંગળવારે મહારાષ્ટ્રના પુણેમાં લોકમાન્ય તિલક પુસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ તેને અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘હું આ લોકમાન્ય તિલક એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરુ છું.’ તેની સાથે જ પીએમ મોદીએ પુરસ્કાર સાથે મળતી રકમને ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટમાં દાન આપવાની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, “આજનો દિવસ મારા માટે ખૂબ જ મહત્વનો છે. હું અહીં આવીને જેટલો ઉત્સાહિત છું, એટલો જ ભાવુક પણ છું, હાલમાં થોડી વાર પહેલા મેં શ્રીમંત દગડુશેઠ મંદિરમાં ગણપતિજીના આશીર્વાદ પણ લીધા છે. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર મળવું એ સન્માનની વાત છે. આ છત્રપતિ શિવાજીની ધરતી છે.”

પીએમ મોદીએ કર્યું પુરસ્કારની રકમનું દાન
પીએમ મોદીએ સંબોધન દરમિયાન પુરસ્કારમાં મળેલી રકમનું દાન કરવાની જાહેરાત કરી અને કહ્યું કે, “જેમના નામમાં ગંગાધર હોય, તેમના નામ પર આપવામાં આવેલી રકમ ગંગાજીને સમર્પિત કરી દીધી છે. મેં પુરસ્કારની રકમ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.”

પીએમ મોદીએ કહ્યું કે, “પુરસ્કારની સાથે જવાબદારી પણ વધી જાય છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે તેમની સેવામાં, તેમની આશાઓ અને અપેક્ષાઓની પૂર્તિમાં કોઈ કસર બાકી રાખીશ નહીં.”

Related Posts