Prime Minister Modi| પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે મંગળવારે મહારાષ્ટ્રના પુણેમાં લોકમાન્ય તિલક પુસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ તેને અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘હું આ લોકમાન્ય તિલક એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરુ છું.’ તેની સાથે જ પીએમ મોદીએ પુરસ્કાર સાથે મળતી રકમને ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટમાં દાન આપવાની જાહેરાત કરી છે.
પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, “આજનો દિવસ મારા માટે ખૂબ જ મહત્વનો છે. હું અહીં આવીને જેટલો ઉત્સાહિત છું, એટલો જ ભાવુક પણ છું, હાલમાં થોડી વાર પહેલા મેં શ્રીમંત દગડુશેઠ મંદિરમાં ગણપતિજીના આશીર્વાદ પણ લીધા છે. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર મળવું એ સન્માનની વાત છે. આ છત્રપતિ શિવાજીની ધરતી છે.”
#WATCH | Maharashtra: Prime Minister Narendra Modi gets conferred with Lokmanya Tilak National Award in Pune. pic.twitter.com/zBLwRerKa5
— ANI (@ANI) August 1, 2023
પીએમ મોદીએ કર્યું પુરસ્કારની રકમનું દાન
પીએમ મોદીએ સંબોધન દરમિયાન પુરસ્કારમાં મળેલી રકમનું દાન કરવાની જાહેરાત કરી અને કહ્યું કે, “જેમના નામમાં ગંગાધર હોય, તેમના નામ પર આપવામાં આવેલી રકમ ગંગાજીને સમર્પિત કરી દીધી છે. મેં પુરસ્કારની રકમ ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટ માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.”
#WATCH | On being conferred with Lokmanya Tilak National Award today, Prime Minister Narendra Modi, says "I have decided to donate the prize money to the Namami Gange project. I want to dedicate this award to 140 crore people of the country" pic.twitter.com/vnZxiUCEjz
— ANI (@ANI) August 1, 2023
પીએમ મોદીએ કહ્યું કે, “પુરસ્કારની સાથે જવાબદારી પણ વધી જાય છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે તેમની સેવામાં, તેમની આશાઓ અને અપેક્ષાઓની પૂર્તિમાં કોઈ કસર બાકી રાખીશ નહીં.”