Shimla| હિમાચલ પ્રદેશના શિમલાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન થયું હતું. શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતી. આવી સ્થિતિમાં શ્રાવણિયા સોમવારે પૂજા કરવા આવેલા લગભગ 50 લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધી 9 મૃતદેહોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ ઘટના શિમલાના સમરહિલ વિસ્તારમાં બની હતી. અહીં શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. જેના કારણે લગભગ 50 લોકો કાટમાળ નીચે દટાયા હતા. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. ત્યારે અન્યોને શોધવાની કવાયત શરૂ કરાઇ છે.
Distressing news has emerged from Shimla, where the “Shiv Mandir” at Summer Hill collapsed as a result of the heavy rainfall.
As of now, nine bodies have been retrieved. The local administration is diligently working to clear the debris in order to rescue individuals who may…
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
પર્વતો પર કુદરતી આફતો યથાવત
પહાડી રાજ્યોમાં કુદરતી આફતો ચાલુ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે. બંને પહાડી રાજ્યોમાં કુદરતી કહેર તૂટ્યો છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. બંને રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં મંડીમાં બિયાસ નદીના જળસ્તરમાં ઉછાળો છે. તો અલકનંદાના મોજા પૌરી ગડવાલમાં લોકોને ડરાવે છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે શાળા-કોલેજો બંધ કરી દીધી છે. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીએ આજે એટલે કે 14મી ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત પરીક્ષાઓ મુલતવી રાખી છે.
સોલનમાં વાદળ ફાટવાના કારણે 7 લોકોના મોત
અગાઉ હિમાચલના સોલનમાં વાદળ ફાટ્યું હતું. આ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 6 લોકોને બચાવી લેવાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સોલનના મામલીકના ધાયાવાલા ગામમાં મોડી રાત્રે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટ્યા બાદ આખું ગામ કાટમાળ નીચે ઢંકાઈ ગયું હતું.