Mobile SIM card| ગુનેગારો મોબાઈલ સિમ કાર્ડ દ્વારા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરતા હોય છે. ગુનાઓ કે ફ્રોડ અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક નવો અને કડક નિયમ લાગુ પાડ્યો છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હવેથી સિમ ડિલર્સ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત છે. તે ઉપરાંત બલ્ક કનેક્શન પણ બંધ કરવામાં આવે છે. મંત્રીએ કહ્યું કે મોબાઈલ સિમ કાર્ડના નવા ડિલરો માટે પોલિસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે. તે ઉપરાંત પોઈન્ટ ઓફ સેલ ડિલર્સ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
VIDEO | "Since the launch of Sanchar Saathi portal, we have detected and deactivated 52 lakh connections which were fraudulently obtained. We have also blacklisted 67,000 dealers engaged in selling mobile SIM cards," says Union minister @AshwiniVaishnaw. pic.twitter.com/IxQMSImtA2
— Press Trust of India (@PTI_News) August 17, 2023
52 લાખ મોબાઈલ સિમ કાર્ડ અને 67,000 ડિલરો બ્લેકલિસ્ટેડ
અશ્વિની વૈષ્ણવનું કહેવું છે, ખોટી રીતે મેળવવામાં આવેલા લગભગ 52 લાખ મોબાઈલ સિમ કાર્ડને બંધ કરી દેવાયા છે અને મોબાઈલ સિમ કાર્ડ વેચતા 67,000 ડિલરોને બ્લેકલિસ્ટેડ કરી દેવાયા છે.
VIDEO | "Now, it will be mandatory for new dealers (of mobile SIM cards) to go through a police verification and biometric verification. Registration will also be compulsory for all point-of-sale dealers now," says Union minister @AshwiniVaishnaw. pic.twitter.com/tmEMsnrQUk
— Press Trust of India (@PTI_News) August 17, 2023
જથ્થાબંધ ખરીદી બંધ કરવાનો નિર્ણય
મંત્રીએ કહ્યું કે પહેલા લોકો ઘણા સિમ કાર્ડ ખરીદી શકતા હતા. પરંતુ હવે સીમની ખરીદી માટે નવો નિયમ બનાવાયો છે અને જથ્થાબંધ ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે એક યોગ્ય બિઝનેસ કનેક્શનની જોગવાઈ લવાશે જે ફ્રોડને અટકાવવામાં મદદ કરશે.