કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં: 7 કાર્યક્રમ આપી હાજરી
AMC અને ઔડાનાં કુલ 1651 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. AMCને રાષ્ટ્રપતિ દ્વારા હેરિટેજ, વેસ્ટ મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવ્યા છે. અઠવાડિયામાં ક્યાંક ને ક્યાંક વિકાસકાર્યો થાય જ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત કુલ રૂ. ૧૬૫૧ કરોડ ના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સરખેજ તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
અમદાવાદના જગતપુર ગામમાં આવેલ તળાવ વરસાદી પાણીનો કુદરતી સંગ્રહ છે. તેના નવીનીકરણથી તળાવ ફરી પુનઃજીવિત થશે.આ ઉપરાંત આસપાસના વિસ્તારનું બ્યુટીફીકેશન થવાથી તળાવ અને પર્યાવરણના જતનમાં પણ લોકોની ભાગીદારી વધશે. વિસ્તારના લોકોને વિનંતી કરતા અમિત શાહે કહ્યું કે નવીનીકરણ પછી તેની સ્વચ્છતા અને હરિયાળી જાળવી રાખવા માટે પૂરા દિલથી પ્રયત્નો કરવા જોઈએ.
જગતપુર ગામમાં આવેલ તળાવ
મુખ્યમંત્રીની હાજરીમાં અમિત શાહ દ્વારા ઔડાનાં 1700 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમિત શાહ હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓ તેમના ઘરની કી આપવામાં આવી હતી.