પ્રયાગરાજ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભ્રષ્ટાચારના કેસમાં દોષિત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી રાકેશ ધર ત્રિપાઠીને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખનો દંડ ભરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે યુપીના પૂર્વ શિક્ષણ મંત્રી રાકેશ ધર ત્રિપાઠીને અપ્રમાણસર સંપત્તિ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સાથે કોર્ટે પૂર્વ મંત્રીની અટકાયત કરીને તેમને જેલમાં મોકલવાનો પણ નિર્દેશ આપ્યો છે. સરકારી વકીલ અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદા માટે 22 ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી.