અમદાવાદ : કોર્ટમાં વર્ષો સુધી ચાલતા કેસોના કારણે જેતે ગુન્હેગાર ગુનાહિત પ્રવતિ દરમિયાન કબ્જે લેવામાં આયા હોય તેનો નાશ અને નિકાલ કરવામાં આવ્યો જે અંગે શહેર પો.કમિ. જી.એસ.મલિકે માહિતી આપી.
પોલીસે જુદા જુદા ગુન્હામાં પ્રોહી.ના ગુન્હામાં દેશી તેમજ વિદેશી દારૂ જે જપ્ત કરવામાં આવ્યો હોય તેનો નિકાલ કરવામાં આવ્યો. જેની કિંમત અધધ 8કરોડ 15લાખ 75હાજર 253રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો.
સાથો સાથ 20વર્ષથી વધુ સમયથી પડી રહેલા વાહનો નો નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનોની આસ પાસ ગુનાહિત પ્રવૃતિઓમાં પકડાયેલા વાહનોનો ખડકલો જોવા મળે છે. તેને પણ હટાવીને નિકાલ કરવામાં આવ્યો છે. આવા કુલ 684 વાહનોની નિયમોનુસાર હરાજી કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાંથી, કુલ 63લાખ 27હાજર 500રૂપિયા ઉપજેલ જેનો સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યા હતા.
આ સિવાય અન્ય જે ગુન્હાઓ બને છે, તેમાં ગુનેગારો પાસેથી પોલીસ દ્વારા કબ્જે કરાયેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ટુવ્હીલર, થ્રીવ્હીલર, ફોરવ્હીલર વાહનો તેમના મુળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. તેમાંથી જે લોકોએ રહેઠાણ બદલાઈ ગયા હતા તેઓને પણ શોધીને પરત કરવામાં આવ્યા હતા. જે અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાણકારી આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મુદ્દામાલ નિકાલની ઝુંબેશ છેલ્લા 4મહિનાઓથી ચલાવવામાં આવી હતી.