લૂંટના ઇરાદે અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ગત રાત્રીએ અજાણ્યા સખ્શો દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ

by ND

નારણપુરામાં રહેતા નિલેશભાઈ ગત રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેમની નિકોલમાં આવેલ સોના ચાંદીની દુકાનેથી પરત જઈ રહ્યા હતા ત્યારે શહેરકોટડા વિસ્તારથી નીકળતી વખતે ફોન પાર વાત કરવા ગાડી સાઈડ પર રાખેલ તે સમયે પાછળથી એક અજાણ્યો માણસ આવી ગાડીનો દરવાજો ખખડાવી ખોલવા કહ્યું, પરંતુ તમને દરવાજો ના ખોલતા તે ઈસમ ગાડીની સામે આવી બંદૂક બતાવી દરવાજો ખોલવા કહ્યું પણ છતાં તેમને દરવાજો ના ખોલતા ઈસમે ગાડીના કાચ પર ફાયરિંગ કર્યું. તે સમયે નિલેશભાઈ ગભરાઈ જતા ગાડી ચાલુ કરી ત્યાંથી નીકળી જતા તે 3 ઈસમો એ બાઈક ઉપર તેમનો પીછો કરી રોકવાનો પ્રયત્ન કરેલ, નિલેશભાઈ એ ત્યારે પોલીસને કોલ કરી શહેરકોટડા પોલીસ સ્ટેશન સમયે પોહચી જતા તેમનો જીવ બચાવ્યો.
હાલમાં પોલીસ દ્વારા આગળની તાપસ હાથ ધરવામાં આવેલ છે.

Related Posts