અમદાવાદ : નર્સિંગ એક એવો વ્યવસાય કે જે દરેક દર્દીઓની સંભાળ માટે ખડેપગે હોય છે. દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અગત્યનો હોય છે, ત્યારે અમદાવાદમાં આવેલ શુભમ શાંતમ અને સોહમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના 400 જેટલા વિદ્યાર્થીઓનો ઓથ ટેકિગ સમારોહ યોજાયો. આ ઇન્સ્ટિટ્યૂટમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ માટે જાય છે. વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ અભ્યાસ માટે જાય તે અગાઉ જ આજે 400 વિદ્યાર્થીઓને એક સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓનો થીયરી અભ્યાસ શરૂ થઈ ચૂક્યો
આજના ઓથ ટેકિંગ સમારોહમાં ધારાસભ્ય દર્શના વાઘેલા, મેયર પ્રતિભા જૈન, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષી હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમને થીયરીનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ પ્રેકટિકલ અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તેની પહેલા તમામ વિદ્યાર્થીઓએ દર્દીઓ સાથે સારો વ્યવહાર કરીશું તેમની સાર સંભાળ રાખીશું. પોતાની ફરજ ખૂબ સારી રીતે નીભાવિશું તેવી શપથ લીધી હતી. શપથ સમારોહમાં મહાનુભાવોએ અત્યારથી દર્દીઓ સાથે ક્યાં પ્રકારનો વ્યવહાર રાખવો તેમજ કંઈ રીતે કામગીરી કેવી તે અંગે દર્શન આપ્યું હતું.