સોમનાથના દરિયામાં સ્નાન કરવા તેમજ પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ || News Inside

by ND
Bathing in Somnath sea and entering the water is prohibited

શ્રી સોમનાથદાદાના  મંદિરે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શનાર્થે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ જવાથી, સ્નાન કરવા જતા ડૂબી જવાથી કે અન્ય રીતે માનવ મોત નાબનાવો બનતા હોય છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર જી.આલ દ્વારા ગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 હેઠળ સોમનાથ મંદિરના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર જિલ્લાના પ્રભાસ પાટણ મુકામે આવેલ શ્રી સોમનાથ મંદીરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદુમાં, સોમનાથ મંદીરની પુર્વ–પશ્ચિમ બન્ને સાઈડમાં આશરે 4 કિ.મી.ના વિસ્તારમાં સમુદ્ર કાંઠે કોઈપણ વ્યકિતએ સમુદ્રમાં સ્નાન કરવા જવુ નહી કે સમુદ્રના ઉંડા પાણીમાં પ્રવેશ કરવો નહી. ફરજની રૂઈએ આ વિસ્તારમાં કોઈ સરકારી ખાતાના કર્મચારી અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરવાની થતી હોય તો તેઓને આ હુકમની જોગવાઈ લાગુ પડશે નહી.

Related Posts