ચારણ(ગઢવી) અને આહીર સમાજ વચ્ચે મહાવિવાદ: ગીગા ભમ્મરે કરી ટિપ્પણી, તો રોષે ભરાયા ચારણ

by ND
ચારણ અને આહીર સમાજ વચ્ચે મહાવિવાદ : ગીગા ભમ્મરે કરી ટિપ્પણી, કેમ રોષે ભરાયા ચારણ

ગુજરાતમાં ચારણ અને આહીર સમાજ વચ્ચે મહાવિવાદ શરૂ થયો છે, કારણ કે આહીર સમાજના અગ્રણી એવા ગીગા ભમ્મરે ચારણ સમાજ અને તેમના માતાજી વિશે જાહેર મંચ પરથી અશોભનીય ટિપ્પણી કરી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો છે. ચારણ સમાજ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ રોષે ભરાયો છે. ખંભાળીયા સોનલ ધામ ખાતે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્રિત થયા હતા અને જિલ્લા સેવા સદન ખાતે કલેકટર તેમજ એસ.પી કચેરીએ આવેદન આપ્યું હતુ

 

ગીગા ભમ્મરનું વિવાદિત નિવેદન

આહીર સમાજના અગ્રણી ગીગી ભમ્મરે પોતાના નિવેદનમાં જાહેર મંચ પરથી અશોભનીય ટિપ્પણી કરી હતી. તળાજામાં આહીર જ્ઞાતિના સમુહ લગ્નમા ગીગા ભમ્મરે ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આહીર સમાજ ખોટા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોય છે. સમાજમાં તડ(તિરાડ) પડાવતા હોય છે. ચારણોથી હંમેશા દૂર રહેવું, નહિ તો તમે ભીખારી થઈ જશો. ચારણને ઘરમાં ઘુસવા પણ ન દેવા જોઈએ.

Related Posts