Railways Reduced Fare IRCTC Ticket Booking: લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય રેલવે બોર્ડે જનરલ ટિકિટનું ભાડુ ઘટાડી દીધું છે. હવે જનરલ ટિકિટ લઈને 50 કિમી મુસાફરી કરવા માટે ફક્ત 10 રૂપિયા ભાડું આપવું પડશે. જેના માટે પહેલા 30 રૂપિયા આપવા પડતા હતા. રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જાહેર કર્યો છે.
કોરોના કાળ સુધી આ ભાડું હતું પણ ત્યાર બાદ જ્યારે ટ્રેનોનું સંચાલન શરું કર્યું તો રેલવેએ ભાડુ વધારીને 10 રૂપિયાથી 30 રૂપિયા કરી દીધું હતું. રેલવે બોર્ડે યૂટીએસ સિસ્ટમ અને યૂટીએસ એપમાં ફેરફાર કરવાના આદેશ જાહેર કર્યા છે. લોકલ ટિકિટ બુકિંગ કરનારા આઈઆરસીટીસીના સોફ્ટવેરમાં પણ બદલાવ કરવાના આદેશ જાહેર કર્યા છે.
દૈનિક રેલયાત્રામાં ત્રણ ગણા પૈસા ચુકવી રહેલા મજૂરો અને દૈનિક યાત્રાઓથી ભારતીય રેલવે બોર્ડના આ નિર્ણયથી મોટો લાભ થવા જઈ રહ્યો છે. હવે 50 કિમીના દાયરામાં રહેતા લોકો ફક્ત 10 રૂપિયામાં અવરજવર કરી શકશે. પછી તે જયપુરના રેલયાત્રી હોય કે ભોપાલ. દિલ્હીના રેલયાત્રી કે ફરીદાબાદના.રેલવેના એક અધિકારીએ જણાવ્યું છે કે, 50થી દર 10થી 15 કિમી સુધી યાત્રા કરવા પર 5 રૂપિયા વધી જાય છે. તેનો અર્થ એ થાય છે કે, હવે 30 રૂપિયામાં 90 કિમી સુધી યાત્રા કરી શકશો.
રેલવેએ કોરોના કાળમાં લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે નામિત કરી દીધી હતી. સામાન્ય ટ્ર્નોના સંચાલન બંધ કરી દીધા હતા. તેના કારણે તેના ભાડામાં પણ 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા થઈ ગયા હતા. એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડુ 30 રૂપિયા છે. હવે ફરીથી તેને સામાન્ય કરી દીધું છે. તેનાથી દેશના લાખો દૈનિક યાત્રીઓને લાભ થવા જઈ રહ્યો છે.