PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં આવશે. 1200 કરોડના ખર્ચે અમદાવાદમાં સ્થિત ગાંધી આશ્રમના પુનઃ વિકાસ માટે પાયો નાખશે .
12 માર્ચ દાંડીકુચ દિવસ
12 માર્ચ દાંડીકુચ દિવસના નિમિતે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં હાજર રહેશે. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃ નિર્માણ પ્રોજેક્ટ નો શુભારંભ કરશે.
જાણો PM મોદીનો આવતીકાલનો કાર્યક્રમ
PM Modi 12 માર્ચે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. વહેલી સવારે એરપોર્ટથી સીધા 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. PM મોદી ગાંધી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે પછી કોચરબ આશ્રમને ખુલ્લો મુકવામાં આવશે. ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ – મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરી 10 જેટલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવશે તે ઉપરાંત 13 સ્થળો પર ઈ-લોકાર્પણ અને ખાતમુહર્ત કરવાનો કાર્યક્રમ છે. 50 જેટલા જન ઔષધિ કેન્દ્ર શરુ કરી તેની સાથે વન સ્ટેશન, વન ઉત્પાદન ઓઉટલેટો ખુલ્લા મુકવામાં આવશે. PM નવા કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેશે.