ડાકોરના ઠાકર (રાજા રણછોડરાય)ના દર્શનાર્થે પદયાત્રિઓનું પ્રયાણ

by ND
Dakor Padayatra Sangh Is Being Organized By The Sri Ranchhodrai Seva Sangh

ડાકોરઃ ફાગણી પૂનમના ઉત્સવ પર ડાકોરના ઠાકર (રાજા રણછોડરાય)ના દર્શનાર્થે યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આજે 19માર્ચથી જ ભગવાન રણછોડરાયના ધામ તરફ શ્રી રણછોડરાય સેવા સંઘ અમદાવાદના દરિયાપુર ખાતેથી છેલ્લા 50વર્ષોથી એકધારું આયોજન કરવામાં આવે છે. જ્યાં પદયાત્રિઓનું પ્રયાણ શરૂ થયું છે, ત્યારે આ સંઘના આગેવાનોએ ખેડા જિલ્લામાં ઠેરઠેર વિસામા તેમજ ભોજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવીઓ ઉત્સાહપૂર્વક સેવા કાર્યોમાં જોતરાઇ ગયા હતા. મોટી-નાની ધજાઓ સાથે 5 દિવસ બાદ ડાકોર પહોંચશે.

આ સંઘમાં જોડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ kadvapole.org લોગીન કરી રજીસ્ટ્રેશન કરી શકાય છે.

વિશેષ શણગાર સાથે શ્રીજીની ભવ્ય સવારીનો મંદિરમાંથી આરંભ થશે. ભજન મંડળીઓની ધૂમ વચ્ચે હાથી પર નીકળનાર આ સવારી દરમ્યાન અબીલ-ગુલાલનો છંટકાવ કરવામાં આવશે. મંદિરેથી નીકળી આ સવારી કંકુ દરવાજા પાસે આવેલ શ્રીજીની ગૌશાળા અને ત્યારબાદ લાલબાગ થઇ રાત્રે શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરે પહોંચશે. જ્યાં આરતી કરાયા બાદ આ સવારી બોડાણા મંદિર થઇ નિજમંદિર પરત આવશે.

Related Posts