USBRL પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હવે વર્ષોની રાહનો અંત આવશે. જમ્મુથી શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થવાથી મુસાફરીમાં ઘણા કલાકોની બચત થશે. કાટરાથી શ્રીનગરની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂર્ણ થશે. હાલમાં સડક માર્ગે આ મુસાફરીમાં 6 થી 7 કલાક લાગે છે. હાલમાં વંદે ભારતને કાટરાથી શ્રીનગર વચ્ચે ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. હાલમાં વેલીમાં શ્રીનગરથી સંગલદાન સુધી ટ્રેનોની અવરજવર થાય છે. હવે સંગલદાનથી કાટરા સુધીની રેલ્વે લાઇન શરૂ થયા બાદ આ ટ્રેનોને કાટરા સુધી ચલાવી શકાશે.
USBRL પ્રોજેક્ટ: વર્ષ 2009માં કાઝીગુંડ-બારામુલ્લા વિભાગ શરૂ થયો હતો. વર્ષ 2013માં 18 કિલોમીટર લાંબો બનિહાલ-કાઝીગુંડ વિભાગ, વર્ષ 2014માં 25 કિલોમીટર લાંબો ઉધમપુર-કાટરા વિભાગ, વર્ષ 2023માં બનિહાલથી સંગલદાન અને હવે સંગલદાનથી કાટરા વચ્ચે શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટનો એક ભાગ દુનિયાનો સૌથી ઉંચો રેલ આર્ચ બ્રિજ – ચિનાબ બ્રિજ છે. ટનલ, પુલ અને વેલીમાંથી હવે રેલ મુસાફરી વધુ આનંદદાયક બનશે.