વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માત, ડ્રાઇવરનો બચાવ

ટેન્કર-આઇસર અથડામણ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં ફસાયેલા ડ્રાઇવરને બચાવવા માટે થલતેજ, નવરંગપુરા અને ચાંદખેડા ફાયર અને ઇમરજન્સી ટીમે સંયુક્ત રીતે સફળ બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

આજે રાત્રે વૈષ્ણોદેવી સર્કલ નજીક ટેન્કર અને આઇસર ટ્રક વચ્ચે થયેલા અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નવરંગપુરા ડિવિઝનમાંથી પંકજભાઈ પણ બચાવ કાર્યમાં હાજર રહ્યા હતા અને તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ફાયર વિભાગની ત્રણેય ટીમોએ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી અને અકસ્માતમાં ફસાયેલા આશરે ૩૨ વર્ષીય નારણભાઈ નામના ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ટીમોના સંકલિત પ્રયાસોને કારણે ડ્રાઇવરનો જીવ બચી ગયો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ રાત્રે ૧૧:૦૪ વાગ્યે નવરંગપુરા ફાયર વિભાગના પંકજ રાવલે આ અકસ્માતની માહિતી આપી હતી. હાલમાં ડ્રાઇવરની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે. ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહી અને સંકલિત પ્રયાસોને શહેરીજનો દ્વારા બિરદાવવામાં આવી રહ્યા છે.

શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક અંડરબ્રિજ પાસે ગત રાત્રે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેડી હોસ્પિટલ નજીક થયેલા આ અકસ્માતમાં એક સિમેન્ટના ટેન્કર પાછળ એક ડમ્પર ધડાકાભેર અથડાયું હતું, જેના કારણે ડમ્પરનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો.

ફાયર વિભાગને આ ઘટનાની જાણ રાત્રે ૨૨:૦૪ વાગ્યે કરવામાં આવી હતી. બચાવ કોલ મળતાની સાથે જ ફાયર અને ઇમરજન્સીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી. બચાવ કાર્ય માટે બોલેરો, યોદ્ધા ૨, ઇમરજન્સી ટેન્ડર અને માન ફાઈટર સહિતના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ઘટના સ્થળ પર ડિવિઝનલ ફાયર ઓફિસર, ૨ સબ ઓફિસર, ૩ ડ્રાઇવર, ૨ જમાદાર અને ૧૨ ફાયરમેન સહિતનો સ્ટાફ તુરંત જ બચાવ કામગીરીમાં જોડાઈ ગયો હતો. ટીમે ભારે જહેમત બાદ ડમ્પરના કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢ્યો હતો.

પ્રાથમિક સારવાર બાદ ડ્રાઇવરને વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહી અને કુશળ બચાવ કામગીરીના કારણે ડ્રાઇવરનો જીવ બચી ગયો હતો. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

 

Related Posts