કૃષ્ણનગરમાં ઠગાઈ: KYC અપડેટના નામે સાડા ચાર લાખ રૂપિયા ગુમાવ્યા

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

by Bansari Bhavsar

અમદાવાદ: કૃષ્ણનગરમાં રહેતા રક્વન્સરન ઇઝવા (ઉંમર ૬૩) સાથે ઓનલાઈન ઠગાઈ થઈ છે. તેમણે પોલીસને જણાવ્યું કે કોઈએ તેમને ફોન કરીને કહ્યું કે તેમના બેંક ખાતાનું કેવાયસી અપડેટ કરવાનું છે.

તેઓએ કહ્યું કે હવે ઓનલાઈન થાય છે, બેંકમાં જવાની જરૂર નથી. પછી તેમના વોટ્સએપ પર એક લિંક મોકલી. રક્વન્સરન ઇઝવાએ તે લિંક ખોલી અને પોતાની બેંકની માહિતી ભરી.

આ પછી, ઠગોએ તેમના ખાતામાંથી થોડા થોડા કરીને કુલ ૪ લાખ ૫૪ હજાર ૬૧૦ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી લીધા. આ રીતે તેમની સાથે છેતરપિંડી થઈ.

પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

સાવચેત રહો! કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરશો અને તમારી બેંકની માહિતી કોઈને પણ ન આપશો.

Related Posts