અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ ઘટનામાં, લગભગ ત્રણ મહિના પહેલાં, દહેગામના ચંદન ચોક, નટુકાકાની ચાલીમાં એક મકાનનું તાળું તોડીને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથ ધરી હતી અને આરોપી ચિરાગ રમેશભાઈ શંકરભાઈ ડોડીયા (ઉંમર ૨૪ વર્ષ, રહેવાસી ચંદન ચોક, નટુકાકાની ચાલી, દહેગામ)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી Rs. ૨,૮૮,૮૫૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે, જેમાં સોનાનું બાજુબંધ, સોનાની વિંટી, સોનાના પાટલા, સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ, ચાંદીના ઘુઘરીવાળા પાયલ અને અન્ય ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને વધુ તપાસ માટે દહેગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે. આ ગુનો દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે