અમદાવાદનો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જોખમમાં મુકાયો છે. યુનેસ્કોએ શહેરમાં ચાલી રહેલા બે મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.
જાણો મુખ્ય મુદ્દાઓ:
કયા પ્રોજેક્ટ્સ પર વાંધો?
કાલુપુર રેલવે પ્રોજેક્ટ: અહીં હેરિટેજ બફર ઝોનમાં ઊંચા બિલ્ડિંગ્સ બનાવવાની યોજના છે.
દાણાપીઠ ફાયર સ્ટેશન પ્રોજેક્ટ: આ પ્રોજેક્ટ કોર હેરિટેજ એરિયામાં આવેલો છે.
વાંધાનું મુખ્ય કારણ શું છે?
યુનેસ્કોના મતે, આ પ્રોજેક્ટ્સ શહેરના ‘અસાધારણ વૈશ્વિક મૂલ્ય’ (OUV) ને નુકસાન પહોંચાડશે.
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (HIA) ‘અપૂરતું’ છે, કારણ કે તેણે સમગ્ર શહેરના વારસાને બદલે માત્ર બે સ્મારકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
યુનેસ્કોની માંગણીઓ શું છે?
ભારત સરકાર આ પ્રોજેક્ટ્સને ‘તાત્કાલિક રોકી દે’.
આ વિસ્તારમાં નવા બાંધકામને મંજૂરી ન અપાય.
શહેરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સંયુક્ત મોનિટરિંગ ટીમ મોકલવામાં આવે.
સરકારનું વલણ?
યુનેસ્કોની ભલામણ પર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે પગલાં લેવાયાની જાહેરાત ઉપલબ્ધ નથી.