અમદાવાદની એક જાણીતી મોબાઈલ વેચાણ કરતી કંપનીમાં તેના જ કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવને લઈને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદ એસ.જી. હાઈ-વે પર આવેલી ‘ફોનવાલે’ નામની કંપનીની મુખ્ય ઓફિસના બ્રાન્ચ મેનેજર આનંદભાઈ રાવલએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કંપનીની રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે આવેલી શાખા (‘અંબાણી ફોન્સ યુનિટ ઓફ ફોનવાલે’) માં સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતા તોફીક સુલેમાનભાઈ જુનાચ (રહે. રાજકોટ) પર ઉચાપત કરવાનો આરોપ છે.
કેવી રીતે થઈ ગેરરીતિ?
આરોપી મેનેજર તોફીકે તારીખ ૦૬/૧૦/૨૦૨૫ થી ૨૬/૧૦/૨૦૨૫ દરમિયાન સ્ટોરમાં ગેરરીતિ આચરી હતી.
જે મોબાઈલ ફોન ક્રેડિટ કાર્ડ પર વેચવામાં આવ્યા હતા, તેના ખોટા ટ્રાન્ઝેક્શન આઈડી અથવા એપ્રુવલ નંબરનો ઉપયોગ કર્યો.
અથવા જે મોબાઈલ ફોન રોકડેથી વેચાયા હતા, તેના બિલિંગ વખતે ખોટી સપોર્ટીંગ રીસીપ્ટ બનાવી હતી.
આ રીતે, તેણે મોબાઈલ વેચાણમાંથી આવેલા રોકડ રૂપિયા ₹૧૩,૭૭,૫૩૧/- કંપનીમાં જમા કરાવ્યા ન હતા અને આ રકમની ઉચાપત કરી લીધી હતી.
આ સમગ્ર મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વધુ તપાસ પો.સ.ઈ. શ્રી એસ.જે. દેસાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે.