Bhajanik Laxman Barot died today| ગુજરાતમાં ભજનના એક યુગનો આજે અંત આવ્યો છે. ગુજરાતના પ્રખ્યાત ભજનીક અને જામનગરના વતની એવા લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. દેશ દુનિયામાં ભજન માટે જાણીતા ગુજરાતના પ્રખ્યાત ભજનિક લક્ષ્મણ બારોટનું આકસ્મિક નિધન થતા ધર્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. આજે સવારે પાંચ વાગ્યે ભજનિક લક્ષ્મણ બારોટએ જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આજની યુવા પેઢી પણ લક્ષ્મણ બારોટના ભજનની ચાહક હતી. નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે લક્ષ્મણ બારોટની જુગલબંધી હતી. તેઓ લોકચહિતા ગુજરાતી લોકગાયક હતા. વર્ષો સુધી સંતવાણીની દુનિયામાં લક્ષ્મણ બારોટે રાજ કર્યું છે. જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેઓએ ભજનની દુનિયામાં એવી લોકપ્રિયતા મેળવી કે ભવિષ્યની પેઢી પણ તેમના ભજનો સાંભળીને મોટી થશે.
ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે. ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટનું નામ બહુ પ્રસિદ્ધ હતું. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામા ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. આજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે તેમના વતન જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
મુળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભગવાને તેમને સૂરીલા અવાજની ભેટ આપી હતી. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણબારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. અહી તેઓએ આશ્રમ બનાવ્યો હતો.