ભારતીય ક્રિકેટ ટીમને પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો. સિનિયર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને જો રૂટના બોલ પર યશસ્વીનો શાનદાર કેચ લીધો હતો. યશસ્વી 44 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો.
બીજી વિકેટનાં સ્વરૂપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત ટોમ હાર્ટલીને ફટકારીને સ્ટમ્પ આઉટ થયો હતો. રોહિતે 81 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. રોહિતના રૂપમાં ટીમ ઈન્ડિયાને આ બીજો ઝટકો લાગ્યો હતો. આ પહેલા તેણે યશસ્વી જયસ્વાલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી.
રોહિત શર્માને આઉટ કર્યા બાદ ઈંગ્લેન્ડે રજત પાટીદારની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો આપ્યો હતો આ રીતે ઈંગ્લેન્ડે રમતના પ્રથમ સત્રમાં જોરદાર વાપસી કરી હતી. ભારતીય ક્રિકેટ ફેન્સ એક સમય માટે ચિંતામાં મુકાઇ ગયા હતા.