શરીર સબંધી ગુનાના આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી, મધ્યસ્થ જેલ પાલારા ભુજ ખાતે મોકલાયો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેર પોલીસ કમિશનરશ્રીના આદેશ અનુસાર, શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અમરાઈવાડી પોલીસે આ ઝુંબેશ હેઠળ સાહિલ જર્વેશભાઈ સોલંકી (ઉં.વ. 22) નામના આરોપીની ધરપકડ કરીને તેને મધ્યસ્થ જેલ પાલારા ભુજ ખાતે મોકલી આપ્યો છે.

પોલીસ કમિશનરશ્રીના આદેશથી, અધિક પોલીસ કમિશનરશ્રી સેક્ટર-2 અને ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન-5 તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી “આઈ” ડિવિઝન, અમદાવાદ શહેર દ્વારા શરીર સબંધી ગુના આચરનારા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ, અમરાઈવાડી પોલીસ સ્ટેશનના શરીર સબંધી ગુનાઓના કામે પકડાયેલ આરોપી સાહિલ જર્વેશભાઈ સોલંકી (રહે. બળીયાનગર લાઇન નં. 2, મેટ્રો પિલર નં. 54, 55 સામે, ભીલવાડા, અમરાઈવાડી, અમદાવાદ શહેર) વિરુદ્ધ દાખલ થયેલા ગુનાઓના કાગળો એકત્રિત કરીને વિગતવાર પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની કચેરીના પાસા હુકમ ક્રમાંક/પીસીબી/ડીટીએન/પાસા/189/2025 તા. 18.03.2025 ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમની બજવણી માટે આરોપી નાસતો ફરતો હતો, જેને પકડી પાડવા માટે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગજાભાઈ (બ.નં. 7392) ને મળેલી બાતમીના આધારે આરોપીને તા. 20.03.2025 ના રોજ પકડી પાડવામાં આવ્યો હતો અને પાસા હુકમની બજવણી કરીને તેને મધ્યસ્થ જેલ પાલારા ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ મોતે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Posts