મેઘાણીનગરમાં મિત્રતામાં ખટરાગ: ધારીયાથી હુમલો, આરોપી ફરાર

by Bansari Bhavsar

અમદાવાદમાં મિત્ર વચ્ચે મારામારી, ધારીયાથી હુમલો

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તારીખ ૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ વાગ્યે એક મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં સુરજીતસિંહ નામના વ્યક્તિએ આનંદ ઉર્ફે તુલસી રામવીરસિંહ સિકરવાર નામના તેમના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, આરોપી આનંદે ફરિયાદીને પૈસા માંગ્યા હતા અને જ્યારે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી તો આરોપીએ ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ધારીયાથી માર મારતા ફરિયાદીને ઈજા થઈ હતી.

ફરિયાદી સુરજીતસિંહ રાજપૂત ચાલીની બહાર ઉભા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Related Posts