અમરાઈવાડીમાં જુગારધામ ઝડપાયું, ૮ જુગારીઓ રૂ. ૫૩,૬૫૦ના મુદ્દામાલ સાથે પકડાયા

નાગેશ્વર એસ્ટેટના સેડમાં ચાલતું હતું જુગારધામ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં દરોડો પાડીને એક જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે નાગેશ્વર એસ્ટેટના સેડ નંબર ૫૨ના ઉપરના માળેથી ૮ જુગારીઓને જુગાર રમવાના સાધનો અને રૂ. ૫૩,૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જયસુખભાઇ કાળીદાસ રાઠોડ અને પવજય જયસુખભાઇ રાઠોડ નાગેશ્વર એસ્ટેટમાં ભાડેથી રૂમ રાખીને બહારથી માણસો બોલાવીને રૂપિયાના ટોકન આપીને નાણાંની હારજીતનો જુગાર રમાડતા હતા. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા આઠ આરોપીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ છે:

૧. જયસુખભાઇ કાળીદાસ રાઠોડ (ઉ.વ.૫૪)

૨. પવજય જયસુખભાઇ રાઠોડ (ઉ.વ.૨૬)

૩. નરેશ રામદાસ મકવાણા (ઉ.વ.૫૪)

૪. અનવર હુસૈનભાઇ પટેલ (ઉ.વ.૫૨)

૫. સંજય પગરધારીલાલ પતવારી (ઉ.વ.૫૦)

૬. હબીબભાઇ સોહેલખાન બેલીમ (ઉ.વ.૫૪)

૭. સરફરાજ યુનુશભાઇ અજમેરી (ઉ.વ.૩૪)

૮. જીવણભાઇ દલાભાઇ મારૂ (ઉ.વ.૬૨)

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૩૦,૬૫૦, રૂપિયા સ્વરૂપના ટોકન નંગ ૨૧ (કિંમત રૂ. ૧૦,૩૦૦) અને ૬ મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૫૩,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts