અમદાવાદમાં ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ રથયાત્રાને કારણે BRTS રૂટમાં ફેરફાર

by Bansari Bhavsar

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને કારણે ૨૭ જૂન, ૨૦૨૫, શુક્રવારના રોજ BRTS રૂટમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફારો એક દિવસ માટે અમલમાં રહેશે.

સંપૂર્ણપણે બંધ થતા રૂટ:

* BRTS રૂટ નંબર ૧૦૧ (આર.ટી.ઓ. સરક્યુલર)

આંશિક રીતે બદલાતા રૂટ:

* રૂટ નંબર ૦૨: એસ.પી. રીંગ રોડ થી ઇસ્કોન ક્રોસ રોડ ના બદલે ઇસ્કોન ક્રોસ રોડ થી લો ગાર્ડન સુધી ચાલશે.

* રૂટ નંબર ૦૮: ભાડજ સર્કલ થી નરોડા ગામ ના બદલે ભાડજ સર્કલ થી સરકારી લીથો પ્રેસ (કેબિન) સુધી ચાલશે.

* રૂટ નંબર ૦૯: મણિનગર થી ગોતા વસંતનગર ટાઉનશીપ ના બદલે ગોતા વસંતનગર ટાઉનશીપ થી એલ.ડી. કોલેજ સુધી ચાલશે.

* રૂટ નંબર ૧૧: ઓઢવ એસ.પી. રીંગ રોડ થી એલ.ડી. એન્જી. કોલેજ ના બદલે ઓઢવ એસ.પી. રીંગ રોડ થી આસ્ટોડીયા દરવાજા સુધી ચાલશે.

રાબેતા મુજબ ચાલુ રહેતા રૂટ:

નીચેના BRTS રૂટ રાબેતા મુજબ ચાલુ રહેશે:

* મણિનગર થી ઘુમા ગામ (રૂટ નં. ૦૧)

* આર.ટી.ઓ. સર્કલ થી મણિનગર (રૂટ નં. ૦૩)

* એલ. ડી. એન્જી કોલેજ થી ઝુંડાલ સર્કલ / અંબા ટાઉનશીપ (રૂટ નં. ૦૪)

* વાસણા થી હંસપુરા રીંગ રોડ (રૂટ નં. ૦૫)

* નારોલ થી નરોડા એસ.ટી. વર્કશોપ (રૂટ નં. ૦૬)

* નારોલ થી સારંગપુર દરવાજા અને ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબિન (રૂટ નં. ૦૭)

* આર.ટી.ઓ. સર્કલ થી રબારી કોલોની (રૂટ નં. ૧૨)

* સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા (રૂટ નં. ૧૪)

* ઇસ્કોન ક્રોસ રોડ થી આર.ટી.ઓ. સર્કલ/ એરપોર્ટ (રૂટ નં. ૧૫)

* સાણંદ સર્કલ થી નહેરુનગર (રૂટ નં. ૧૬)

* સાઉથ બોપલ ટર્મિનસ થી નહેરુનગર (રૂટ નં. ૧૭)

બંધ રહેતા BRTS સ્ટેશન/કેબીન:

નીચેના BRTS સ્ટેશન/કેબીન પર બસ સેવા બંધ રહેશે:

* દિલ્હી દરવાજા

* પ્રેમ દરવાજા

* કાલુપુર ઘી બજાર

* કાલુપુર રેલ્વે સ્ટેશન

* આસ્ટોડીયા ચકલા

* મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ

* રાયખડ ચાર રસ્તા

* લોકમાન્ય તિલક બાગ

* એમ.જે. લાયબ્રેરી

* જી.સી.એસ. હોસ્પીટલ

* અરવિંદ મિલ

* જીનીંગ પ્રેસ

* અશોક મિલ

* નરોડા ફ્રુટ માર્કેટ

* મેમ્કો ક્રોસ રોડ

* મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ

* સૈજપુર ટાવર

* નરોડા એસ.ટી. વર્કશોપ કેબિન

તમામ મુસાફરોને આ ફેરફારોની નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી છે.

Related Posts