અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને કારણે ૨૭ જૂન, ૨૦૨૫, શુક્રવારના રોજ BRTS રૂટમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફારો એક દિવસ માટે અમલમાં રહેશે.
સંપૂર્ણપણે બંધ થતા રૂટ:
* BRTS રૂટ નંબર ૧૦૧ (આર.ટી.ઓ. સરક્યુલર)
આંશિક રીતે બદલાતા રૂટ:
* રૂટ નંબર ૦૨: એસ.પી. રીંગ રોડ થી ઇસ્કોન ક્રોસ રોડ ના બદલે ઇસ્કોન ક્રોસ રોડ થી લો ગાર્ડન સુધી ચાલશે.
* રૂટ નંબર ૦૮: ભાડજ સર્કલ થી નરોડા ગામ ના બદલે ભાડજ સર્કલ થી સરકારી લીથો પ્રેસ (કેબિન) સુધી ચાલશે.
* રૂટ નંબર ૦૯: મણિનગર થી ગોતા વસંતનગર ટાઉનશીપ ના બદલે ગોતા વસંતનગર ટાઉનશીપ થી એલ.ડી. કોલેજ સુધી ચાલશે.
* રૂટ નંબર ૧૧: ઓઢવ એસ.પી. રીંગ રોડ થી એલ.ડી. એન્જી. કોલેજ ના બદલે ઓઢવ એસ.પી. રીંગ રોડ થી આસ્ટોડીયા દરવાજા સુધી ચાલશે.
રાબેતા મુજબ ચાલુ રહેતા રૂટ:
નીચેના BRTS રૂટ રાબેતા મુજબ ચાલુ રહેશે:
* મણિનગર થી ઘુમા ગામ (રૂટ નં. ૦૧)
* આર.ટી.ઓ. સર્કલ થી મણિનગર (રૂટ નં. ૦૩)
* એલ. ડી. એન્જી કોલેજ થી ઝુંડાલ સર્કલ / અંબા ટાઉનશીપ (રૂટ નં. ૦૪)
* વાસણા થી હંસપુરા રીંગ રોડ (રૂટ નં. ૦૫)
* નારોલ થી નરોડા એસ.ટી. વર્કશોપ (રૂટ નં. ૦૬)
* નારોલ થી સારંગપુર દરવાજા અને ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબિન (રૂટ નં. ૦૭)
* આર.ટી.ઓ. સર્કલ થી રબારી કોલોની (રૂટ નં. ૧૨)
* સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા (રૂટ નં. ૧૪)
* ઇસ્કોન ક્રોસ રોડ થી આર.ટી.ઓ. સર્કલ/ એરપોર્ટ (રૂટ નં. ૧૫)
* સાણંદ સર્કલ થી નહેરુનગર (રૂટ નં. ૧૬)
* સાઉથ બોપલ ટર્મિનસ થી નહેરુનગર (રૂટ નં. ૧૭)
બંધ રહેતા BRTS સ્ટેશન/કેબીન:
નીચેના BRTS સ્ટેશન/કેબીન પર બસ સેવા બંધ રહેશે:
* દિલ્હી દરવાજા
* પ્રેમ દરવાજા
* કાલુપુર ઘી બજાર
* કાલુપુર રેલ્વે સ્ટેશન
* આસ્ટોડીયા ચકલા
* મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
* રાયખડ ચાર રસ્તા
* લોકમાન્ય તિલક બાગ
* એમ.જે. લાયબ્રેરી
* જી.સી.એસ. હોસ્પીટલ
* અરવિંદ મિલ
* જીનીંગ પ્રેસ
* અશોક મિલ
* નરોડા ફ્રુટ માર્કેટ
* મેમ્કો ક્રોસ રોડ
* મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ
* સૈજપુર ટાવર
* નરોડા એસ.ટી. વર્કશોપ કેબિન
તમામ મુસાફરોને આ ફેરફારોની નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી છે.