અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને તેમની ગુમ કે ચોરાયેલી વસ્તુઓ અને નાણાં પરત કરવાનો એક વિશેષ કાર્યક્રમ Zone-4 ખાતે યોજાયો હતો. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ₹1,30,60,163 ની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે નીચે મુજબની રિકવરી અરજદારોને સુપ્રત કરવામાં આવી હતી:
મોબાઈલ ફોન (CEIR પોર્ટલ ડ્રાઈવ): કિંમત ₹1,01,39,025 ના કુલ 610 મોબાઈલ પરત કરાયા (અમદાવાદના 507, ગુજરાતના અન્ય જિલ્લાના 48 અને અન્ય રાજ્યોના 55 મોબાઈલ).
સાયબર ફ્રોડ રિકવરી: સાયબર ફ્રોડનો ભોગ બનેલા 26 અરજદારોને ₹21,82,490 ની રકમના ચેક પરત અપાયા.
અન્ય મુદ્દામાલ: રોકડ રકમ, સોનાની રણી, રિક્ષા અને એક્ટિવા મળી કુલ ₹7,38,650 નો મુદ્દામાલ પરત કરાયો.
આ પ્રસંગે સેક્ટર-2ના અધિક પોલીસ કમિશનર શ્રી જયપાલસિંહ રાઠોડ, Zone-4 ના નાયબ પોલીસ કમિશનર શ્રી અતુલ કુમાર બંસલ, G તથા F ડિવિઝનના એસીપી અને વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે પોતાના કિંમતી સામાન અને નાણાં પરત મેળવીને અરજદારોએ પોલીસ વિભાગનો આભાર માન્યો હતો.