ડાકોરઃ ફાગણી પૂનમના ઉત્સવ પર ડાકોરના ઠાકર (રાજા રણછોડરાય)ના દર્શનાર્થે યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આજે 19માર્ચથી જ ભગવાન રણછોડરાયના ધામ તરફ શ્રી રણછોડરાય સેવા સંઘ અમદાવાદના દરિયાપુર ખાતેથી છેલ્લા 50વર્ષોથી એકધારું આયોજન કરવામાં આવે છે. જ્યાં પદયાત્રિઓનું પ્રયાણ શરૂ થયું છે, ત્યારે આ સંઘના આગેવાનોએ ખેડા જિલ્લામાં ઠેરઠેર વિસામા તેમજ ભોજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવીઓ ઉત્સાહપૂર્વક સેવા કાર્યોમાં જોતરાઇ ગયા હતા. મોટી-નાની ધજાઓ સાથે 5 દિવસ બાદ ડાકોર પહોંચશે.
આ સંઘમાં જોડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ kadvapole.org લોગીન કરી રજીસ્ટ્રેશન કરી શકાય છે.
વિશેષ શણગાર સાથે શ્રીજીની ભવ્ય સવારીનો મંદિરમાંથી આરંભ થશે. ભજન મંડળીઓની ધૂમ વચ્ચે હાથી પર નીકળનાર આ સવારી દરમ્યાન અબીલ-ગુલાલનો છંટકાવ કરવામાં આવશે. મંદિરેથી નીકળી આ સવારી કંકુ દરવાજા પાસે આવેલ શ્રીજીની ગૌશાળા અને ત્યારબાદ લાલબાગ થઇ રાત્રે શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરે પહોંચશે. જ્યાં આરતી કરાયા બાદ આ સવારી બોડાણા મંદિર થઇ નિજમંદિર પરત આવશે.